નાગા સાધુઓનો રહસ્યલોક-1: સનાતન હિંદુ ધર્મના અજય ધર્મયોદ્ધાની ઉત્પતિનો ઈતિહાસ
નાગા સાધુઓ સનાતન ધર્મના રક્ષક આદિગુરુ શંકારાચાર્યે નાગા સાધુઓને કર્યા એકજૂટ ત્રેતાયુગમાં નાગા સંન્યાસી પરંપરા ભગવાન દત્તાત્રેયે શરૂ કરી હતી જૈન દિગમ્બર સાધુ અને હિંદુ નાગા સંન્યાસી પરંપરા અતિ પ્રાચીન સિંધુ સભ્યતાના અવશેષોમાં પણ છે નાગા સંન્યાસીઓને લગતા પુરાવા અર્ધકુંભ, મહાકુંભમાં જોવા મળતા નાગા સાધુઓને જોઈને કોઈને પણ આશ્ચર્ય થાય. નાગા સાધુઓથી કેટલાક લોકો પૂજ્યભાવ રાખે છે, તો કેટલાક લોકો ડરે છે, તો કેટલાક લોકો તેમની મજાક પણ ઉડાવે છે. નાગા શબ્દનો અર્થ નગ્ન અથવા કપડાં વગરનો તેવો હાલની બોલચાલની ભાષામાં કરવામાં આવે છે. પરંતુ નાગા શબ્દની ઉત્પતિ મામલે કેટલાક વિદ્વાનોનું માનવું છે કે આ શબ્દ સંસ્કૃતના નાગા શબ્દ પરથી આવ્યો છે. સંસ્કૃતમાં નાગા શબ્દનો અર્થ પહાડ થાય છે અને તેના પર રહેતા લોકો પહાડી અથવા નાગા કહેવામાં આવે છે. કચ્છારી ભાષામાં નાગા એટલે એક યુવાન બહાદૂર લડાકૂ વ્યક્તિ. ટોલ્મી પ્રમાણે, નાગાનો અર્થ નગ્ન રહેનાત વ્યક્તિઓથી છે. ડૉક્ટર વેરિયર ઈલ્વિન પ્રમાણે, નાગા શબ્દની ઉત્પતિ નૉક અથવા લોગ પરથી થઈ છે. માટે ઉત્તર-પૂર્વમાં રહેનારા આ લોકોને નાગા કહે છે. નગ્ન રહેવા સાથે નાગા શબ્દનો સંબ...