Posts

Showing posts with the label patidar

ખોડલધામથી ફાઈટ ફૉર પાટીદાર CMનો પ્રારંભ, 2022માં ગુજરાતમાં પટેલ પાવરની અવગણના ભાજપને પડશે ભારે

Image
- આનંદ શુક્લ 2015થી શરૂ થયેલી પાટીદાર અનામતની માગણી ગુજરાતના રાજકારણમાં અઢી દાયકાથી ચાલી રહેલી રાજકીય તાસિરના પરિવર્તનનો પાયો છે. 2012ની વિધાનસભાની ચૂંટણી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી માટે 1998, 2002 અને 2007 જેટલી સરળ ન હતી. પરંતુ નરેન્દ્રભાઈ મોદી જેવા મોટાગજાના નેતાને કારણે 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટેના કપરા ચઢાણની ખાસ ખબર પડી નહીં. 2014ની લોકસભાની ચૂંટણીમાં 26માંથી 26 બેઠકો અને 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ 26માંથી 26 બેઠકો પર ભાજપને જીત મળી હતી. પરંતુ આ મહાવિજય પાછળ નરેન્દ્રભાઈ મોદીનો રાજકીય કરિશ્મો સૌથી વધુ કારણભૂત હતો. ગાંધીનગર અને નવી દિલ્હી વચ્ચે સેંકડો કિલોમીટરોનું અંતર છે. નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન તરીકે બીજી વખત દિલ્હીની ગાદી પર આવ્યા છે. કોરોનાકાળમાં દેશ સામે ઘણાં પડકારો છે. આવી સ્થિતિમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને સ્થાનિક સ્તરે નરેન્દ્રભાઈ મોદી જેવા કરિશ્માઈ નેતાની ઉણપ વર્તાય રહી છે. મોટાગજાના નેતાની પ્રદેશ સ્તરે ગેરહાજરીમાં સંગઠન સ્તરથી માંડીને ગુજરાતમાં ચાલી રહેલી રાજકીય અને સામાજીક ગતિવિધિઓ આગામી સમયમાં રાજ્યમાં નવા રાજકીય સમીકરણોના સંકેત કરે છે. આમ ...