નાગા સાધુઓનો રહસ્યલોક-10: મહિલાઓ તો 16 શણગાર કરે છે, પરંતુ નાગા બાબાઓ કરે છે 17 શ્રૃંગાર!
નાગા સાધુનો 17મો શ્રૃંગાર છે ભસ્મ નાગા સાધુઓના શ્રૃંગારની વિશેષતા ભસ્મ અને રુદ્રાક્ષનું નાગા સાધુઓ માટે છે મહત્વ મહિલાઓ તો 16 શ્રૃંગાર કરે છે. પરંતુ નાગા બાબાઓ 17 શ્રૃંગાર કરે છે. માનવામાં આવે છે કે મહિલાઓ પોતાના શણગાર પર સૌથી વધુ ધ્યાન આપે છે. પરંતુ તમને ચોક્કસ આશ્ચર્ય થશે કે નાગા સાધુ પણ પોતાના શ્રૃંગાર પર વિશેષ ધ્યાન આપે છે. દરેક નાગા સાધુનો શ્રૃંગાર અલગ હોય છે અને તે તેમની અલગ ઓળખ પણ બને છે. નાગા સાધુઓનો 17મો શ્રૃંગાર ભસ્મ હોય છે. ભસ્મ નાગા સાધુઓનું એકમાત્ર પરિધાન હોય છે. દરેક નાગા પોતાના શરીર પર આ સફેદ ભસ્મ અને રુદ્રાક્ષની માળાઓ સિવાય કંઈ પહેરતા નથી. માન્યતા છે કે ભગવાન શંકર આવી જ રીતે 11 હજાર રુદ્રાક્ષની માળા ધારણ કરે છે. નાગા સાધુઓને વસ્ત્ર ધારણ કરવાની પણ મંજૂરી હોતી નથી. જો વસ્ત્ર ધારણ કરવાનું હોય, તો ભગવા રંગનું એક જ વસ્ત્ર નાગા સાધુ પહેરી શકે છે. નાગા સાધુઓને શરીર પર માત્ર ભસ્મ લગાવવાની અનુમતિ છે. નાગા સાધુઓના 17 શ્રૃંગાર- 1. લંગોટ 2. ભભૂત- શરીર પર વિભૂતિનો લેપ 3. ...